તુળસીને પાંદડે તોલાણાં
ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
હે જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
બોડાણે બહુ નમીને સેવ્યા બોલડીયે બંધાણાં
કૃપા કરીને પ્રભુજી પધાર્યા, ડાકોરમાં દર્શાણાં
ઓ નાથ તમે તુલસીને પાંદડે તોલાણાં
હેમ બરાબર મૂલ કરીને વાલ સવામાં તોલાણાં
બ્રાહ્મણને જ્યારે ભોંઠપણ આવ્યું
ત્યારે સખીઓને વચને વેચાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
મધ્ય ગુજરાતમાં રચી દ્વારિકા, વેદ પુરાણે વંચાણાં
હરિગુરુ વચન કહે વણલખે જગત બધામાં જણાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
ઓ જી એવા ગુણ તો ગોવિંદના ગવાણાં
ઓ નાથ તમે તુળસીને પાંદડે તોલાણાં
સ્વરઃ પ્રાણલાલ વ્યાસ
ક્લીક કરો અને સાંભળોઃ
|