[પાછળ] |
ઉઘાડી રાખજો બારી દુઃખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી ગરીબની દાદ સાંભળવા અવરનાં દુઃખને દળવા તમારા કર્ણ નેત્રોની ઉઘાડી રાખજો બારી અતિ ઉજાસ કરનારા, તિમિરનો નાશ કરનારા, કિરણને આવવા સારુ, ઉઘાડી રાખજો બારી પ્રણયનો વાયરો વાવા કુછંદી દુષ્ટ વા જાવા તમારા શુદ્ધ હૃદયોની ઉઘાડી રાખજો બારી થયેલા દુષ્ટ કર્મોની છૂટા જંજીરથી થાવા જરા સત્કર્મની નાની ઉઘાડી રાખજો બારી -પ્રભાશંકર પટ્ટણી |
[પાછળ] [ટોચ] |