ના રે ના!
ના રે, ના! પંખી ક્યાં ગાય છે?
પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે!
આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોનાં કાંડ
આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ
ના, રે ! પરભાતિયું ક્યાં થાય છે?
આવડે તો પીઓ, આ પંખીના કલરવથી
રસબસતો તડકો ઢોળાય છે.....
-રમેશ પારેખ |