[પાછળ] |
અકારણે આજ મારું મન અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! મૂંગું રહેવા જેમ મનાવું તેમ એ વ્હેલું ગાય! મારે અધરે સ્મિત ફૂટે તો ઝાકળ થૈને છાય, નેનમાંથી જો નીર છૂટે તો હસી હસી ન્હાય; વણજોયાને વ્હાલ કરે ને નિજનાને ના ચ્હાય! અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! લોકની માયા શીય કીધી તે નિજમાંયે ના માય, કોકની છાયા જોઈ લીધી કે ચરણ ચૂમવા જાય; ક્યારેય જે ન નોતરે એને ઘેર એ પ્હેલું જાય! અકારણે આજ મારું મન ઘેલું ઘેલું થાય! (૧૯૪૮) -નિરંજન ભગત |
[પાછળ] [ટોચ] |