બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં થઈ શકે તો બસ ઉથલપાથલ કરો, વનને વસ્તી, શહેરને જંગલ કરો; હો શીદને પથ્થર ઉપાડો છો તમે, પાંપણો ઉંચકો અને ઘાયલ કરો. જ્યાં નિરંતર કોઈનો પગરવ હશે, ત્યાં પ્રતીક્ષાનો સતત ઉત્સવ હશે. લાગણીની વ્યગ્રતા છે ટેરવાં, બંધ દ્વારોની વ્યથા છે ટેરવાં. શક્યતા સબંધની એમાં હશે, એક બારીની જગા છે ટેરવાં. આંખમાં ભીનાશ જે ઉભરી હતી, એ બધી યે પી ગયાં છે ટેરવાં. ભેદ જ્યાં જાણ્યો હથેળીનો પછી સાવ મુંગા થઈ ગયાં છે ટેરવાં. સ્વરઃ શેખર સેન રચનાઃ કૈલાશ પંડિત સ્વરાંકનઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળોઃ (ઓડિયો ક્લીપ સૌજન્યઃ પ્રા. ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુંડલા)
|