દુઃખી થાવાને માટે કોઈ દુઃખી થાવાને માટે કોઈ ધરતી પર નહીં આવે; હવે સદીઓ જશે ને કોઈ પયગમ્બર નહીં આવે. છે મસ્તીખોર, કિંતુ દિલનો છે પથ્થર, નહીં આવે; સરિતાને કદી ઘર આંગણે સાગર નહીં આવે. ચમનને આંખમાં લઈને નીકળશો જો ચમનમાંથી, નહીં આવે નજરમાં જંગલો, પાદર નહીં આવે. અનુભવ પરથી દુનિયાના, તું જો મળશે કયામતમાં, તને જોઈ ધ્રુજારી આવશે, આદર નહીં આવે. દુઃખો આવ્યાં છે હમણાં તો ફકત બેચાર સંખ્યામાં, ભલા શી ખાતરી કે એ પછી લશ્કર નહીં આવે. હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે. આ બળવાખોર ગઝલો છોડ લખવાનું ‘જલન’ નહિતર લખીને રાખજે અંજામ તુજ સુંદર નહીં આવે. કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, ‘જલન’ની લાશ ઊંચકવા અહીં ઈશ્વર નહીં આવે. સ્વરઃ મનહર ઉધાસ ગઝલઃ જલન ‘માતરી’ ક્લીક કરો અને સાંભળોઃ
|