[પાછળ]
ટોળાં ન હોય નાનકના, કબીરોના ઇશારા કોઈ ક્યાં સમજી શક્યું સંતો-ફકીરોના? અહીંના માણસો તો માણસો કેવળ લકીરોના ઉપરવાળો ઘણું દે ને ઘણુંયે છીનવી લે પણ હૃદય સાવ જ અનોખા હોય છે ફક્કડ અમીરોના પ્રવાસો લાખચોરાસી થયા પણ કોઈ ના સમજ્યું બધા ગુણધર્મ એના એ જ છે, સઘળા શરીરોના કદી કોઈક જાગી જાય છે એ વાત જુદી છે અહીં ટોળાં કદી ના હોય નાનકના, કબીરોના ભલે ને, ચાલ નોખી એમની સ્હેજેય ના લાગે પરંતુ, આભમાં પગલાં પડે દરવેશ, પીરોનાં સ્વરઃ ઓસમાણ મીર ગીતઃ જાતુષ જોશી સ્વરાંકનઃ હરિશ્ચંદ્ર જોશી સંગીતઃ સુરેશ જોશી ક્લીક કરો અને સાંભળોઃ
[પાછળ]     [ટોચ]