તકદીર ખુદ ખુદાએ લખી મજહબની એટલે તો ઈમારત બળી નથી શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી સારું થયું કે કોઈ મનુજે લખી નથી ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલાં મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર કુર્રાનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી હિચકારું કૃત્ય જોઈને ઈન્સાનો બોલ્યાં લાગે છે આ રમત કોઈ શયતાનની નથી ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી ઊઠબેસમાં જો ભૂલ પડે મનના કારણે એ બંદગીનો દ્રોહ છે બંદગી નથી મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે જલન જીવનની ઠેસની હજુ કળ વળી નથી રચનાઃ જલન માતરી સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય ક્લીક કરો અને સાંભળો આ ગઝલની પ્રસ્તુતીનું લાઈવ રેકોર્ડિંગઃ
|