જેને દીઠે નેણલાં ઠરે [આ પ્રાચીન ભજન જુદા જુદા શબ્દો સાથે ગવાતું રહ્યું છે.] જેને દીઠે નેણલાં ઠરે બાયું! અમને એડા એડા સંત મળે ઉદરમાંથી એક બુંદ પડે ને ભગત નામ ધરે નરક છોડાવીને ન્યારા રે’વે, અમર લોકને વરે… બાયું. ચાલતા નર ધરતી ન દુવે, પાપ થકી બહુ ડરે શબ્દ વિવેકી ને ચાલે સુલક્ષણા પૂછીપૂછીને પાઉં ધરે….બાયું. ત્રિગુણ પૂતળી રમે સૂનમાં અનઘડ ઘાટ જ ઘડે ગુરુજીના શબ્દો એવાં કે ભાઈ ખોજે તેને ખબરું પડે…. બાયું. કાયાવાડીનો એક ભમરલો સંધ્યાએ ઓથ ધરે આ રે સંસારમાં સંત સુહાગી બેઠાં બેઠાં ભજન કરે…. બાયું. વર્ષાઋતુનો એક હિમ-પોપટો, નીર ભેળાં નીર ભળે લખમાના સ્વામીની સંગે રમતાં સ્વાતિનાં બિંદુ ઠરે…. બાયું. સ્વરઃ હેમુ ગઢવી રચનાઃ લખમો માળી ક્લીક કરો અને સાંભળોઃ (નોંધઃ આ વેબપૃષ્ઠના બેકગ્રાઉન્ડમાં જે જોગી નજરે પડે છે તેને ઓળખો છો? ક્યાંથી ઓળખો? એ છબી ગામ ટંકારાના અને ગુજરાતે જેને "ઘરકા જોગી જોગટા" સમાન માની અવગણ્યા છે તે ઋષિ સ્વામી દયાનંદ સરસ્વતીની છે.)
|